સવાલ :
અમુક સેક્યુલર અને લિબરલ લોકો આ વાત કહેતા પણ નજર આવે છે કે જ્યારે કુરબાની નો મકસદ ગરીબોની મદદ કરવી છે તો પછી ગોશ્તના બદલે સીધા પૈસા આપી દેવામાં આવે. ગોશ્તની તુલનામાં પૈસા આપવામાં આર્થિક ફાયદો વધારે છે.
જવાબ :
સૌપ્રથમ તો આ મુદ્દો જ ખોટો છે જે મુદ્દાને લઈ આ પ્રકારની વાત કહેવામાં આવી છે કે કુરબાની નો મકસદ ગરીબોની મદદ કરવી છે. જ્યારે કે કુરબાની નો મકસદ ગરીબોની મદદ કરવી છે જ નથી. તો પછી આ વસ્તુને ચર્ચાનો વિષય બનાવવો જ સહીહ નથી કે સીધા પૈસા આપવામાં આવે કે ગોશ્ત..?
પરંતુ ચાલો થોડીવાર માટે તેમના સ્તરે ઊતરી આ વાત માની લઈએ તો પણ સીધા પૈસા આપવાની તુલનામાં કુરબાની નો ગોશ્ત આપવામાં ફાયદો વધારે છે. જેની વિગત નીચે મુજબ છે.
સીધા પૈસા આપવામાં એક ગરીબની મદદ થાય છે. જ્યારે કે કુરબાનીમાં સૌપ્રથમ પશુઓ ની ખરીદીમાં ખેડૂત અથવા પશુ વેપારીઓ ને રોજગાર મળે છે. ત્યારબાદ તેને પોતાના સ્થળે પહોંચાડવાની સૂરતમાં ભાડુઆત વાહન ચાલકને રોજગાર મળે છે. દરરોજ તેની દેખરેખ, સફાઈ તથા ઘાસચારાની સૂરતમાં મજૂરોને રોજગાર મળે છે. અથવા ઘાસચારો ખરીદવામાં ખેડૂતને રોજગાર મળે છે. ત્યારબાદ તેની કુરબાની કરવાની સૂરતમાં કસાઈઓ ને રોજગાર મળે છે. ત્યારબાદ તે ગોશ્તના વિતરણ ની સૂરતમાં ગરીબોને રોજી મળે છે. ત્યારબાદ તે જગ્યાની સફાઈની સૂરતમાં મજૂરોને રોજગાર મળે છે. અને છેલ્લે તેના ચામડાની સૂરતમાં ફરી ગરીબોને રોજી મળે છે.
જે (સેક્યુલર,લિબરલ) લોકો એવું કહે છે કે કુરબાની ની આ બધી રકમ ગરીબોને સીધી આપી દેવામાં આવે. તેઓ આ વાત જાણતાં નથી કે તેમાં ફક્ત એક ગરીબની મદદ થાય છે. જ્યારે કે ગરીબીનો ઉપાય માત્ર રકમની વહેંચણી કરવી નથી હોતો, બલ્કે ગરીબ વર્ગ માટે આર્થિક પ્રવૃત્તિ (Activity) નું પૈડું ચલાવવું હોય છે. અને આ કુરબાની ની પ્રક્રિયા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તેના દ્વારા કેટલાય લોકો વિવિધ પ્રકારના કામ કરી રોજી મેળવતા નજર આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59