શું જાનવર ઝબહ કરવું જુલ્મ (અત્યાચાર) છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   ઘણા લોકો કુરબાની ના જાનવર ને ઝબહ કરવું જુલ્મ અને અત્યાચાર કહે છે. આ વિષે રહેબરી કરશો.
જવાબ :
   ઘણા લોકો એવું સમજે છે જુલ્મ ઈજા અને તકલીફ પહોંચાડવાનું નામ છે. આથી કુરબાની ને પણ જુલ્મ ખયાલ કરતા નજર આવે છે.
   જુલ્મ ઈજા અને તકલીફ પહોંચાડવાનું નામ નથી. કેમ કે જો આને જુલ્મ સમજવામાં આવે તો પછી આપણે દરરોજ કેટલાય જીવજંતુઓ ને મારતા હોઈએ છીએ, એવી જ રીતે કેટલાક ને અપરાધની સજાઓ પણ આપતા હોઈએ છીએ જેમાં તેઓને ઈજા અને તકલીફ પહોંચે છે. પરંતુ આને કોઈ જુલ્મ નથી સમજતું.
   દરઅસલ કુર્આન અને હદીષના અધ્યયન થી ખબર પડે છે કે જુલ્મ :
وضع الشيء في غير محله
“ કોઈ વસ્તુનું પોતાના મકસદમાં ખરું ન ઉતરવું ”
   એટલે કે તેની રચનાનો જે મકસદ હોય છે તેના વિરુદ્ધ તેનો ઉપયોગ કરવો જુલ્મ કહેવાય છે. આ જ જુલ્મની સહીહ વ્યાખ્યા છે. અને લોકો પણ વ્યવહારિક રીતે (Practically) આ જ વ્યાખ્યાને અનુસરે છે. જેની પુષ્ટિ નીચે મુજબ છે.
   જુલ્મની આ વ્યાખ્યાના સંદર્ભમાં જોઈએ તો અલ્લાહ તઆલા એ પ્રાણીઓને માનવ ફાયદા માટે બનાવ્યા છે. આ હિસાબે પ્રાણીઓ થી (સવારી, ખેતીકામ, તથા ઝબહ દ્વારા) ફાયદો ઉઠાવવો જુલ્મ ન કહેવાય. કેમ કે આ બધું તેઓની રચનાના મકસદ મુજબ છે.
   આજે પણ લોકો પ્રાણીઓ ને સવારી બનાવે છે અને ખેતરનું કામકાજ લે છે. જ્યારે કે આમાં તેઓને ઈજા અને તકલીફ બન્ને પહોંચે છે, છતાં કોઈ તેને જુલ્મ નથી સમજતું, કેમ..? કેમ કે તેઓ એવું સમજે છે કે આ પ્રાણીઓ આ જ મકસદ માટે છે. 
   તો ભલા જ્યારે સવારી અને ખેતીકામમાં તેને ઈજા પહોંચતી હોવા છતાં તે જુલ્મ નથી, કેમ કે તે પોતાના મકસદમાં ખરું ઉતરે છે, તો પછી ઝબહ બાબત જુલ્મનો આ આધારભૂત અને વ્યાખ્યા કેમ બદલાઈ જાય છે..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)