સવાલ :
અમુક સેક્યુલર વિચાર ધરાવતા લોકો એવું સમજે છે કે કુરબાની નો મકસદ માત્ર ગરીબો સુધી ગોશ્ત પહોંચાડવો છે. આથી આ લોકો કુરબાની ના દિવસોમાં આવું કહેતા નજર આવે છે કે કુરબાની કરી ગોશ્ત પહોંચાડવા કરતાં તેઓને ડાયરેક્ટ તે પૈસા પહોંચાડી દેવામાં આવે. એટલે કે કુરબાની કરવામાં ન આવે, બલ્કે તે પૈસા ગરીબોને સદ્કહ્ કરી આપવામાં આવે.
જવાબ :
કુરબાની નો મકસદ ગરીબોને ગોશ્ત પહોંચાડવો નથી કે તેની ભરપાઈ સદ્કહ્ દ્વારા કરી દેવામાં આવે. બલ્કે કુરબાની માં બે વસ્તુઓ ઈચ્છનીય હોય છે.
(૧) હઝરત ઈબ્રાહિમ અસ. એ આપેલા સૌથી મોટા ઐતિહાસિક બલિદાનની યાદગીરી.
(૨) કુરબાની ના માધ્યમથી દિલમાં બલિદાન આપવાની ભાવના અને જઝ્બો પેદા કરવો.
સ્વભાવિક છે કે આ બન્ને મકસદ સદ્કહ્ કરવાથી પૂર્ણ નહીં થાય. કેમ કે સદ્કહ્ થી ઉદારતા અને સખાવત ની ભાવના પેદા થાય છે, ન કે બલિદાન નો જઝ્બો. તેમજ સદ્કહ્ ની હઝરત ઈબ્રાહિમ ની યાદગીરી સાથે દૂર દૂરનો વાસ્તો નથી, તે માટે આ મકસદ તો પૂર્ણ થવાથી રહ્યો.
ખબર પડી કે કુરબાની ના બદલે સદ્કહ કરવો કાફી નથી, બલ્કે કુરબાની ની જવાબદારી જ પૂરી નહીં થાય. તેમજ કુરબાની પણ એ રીતે કરવામાં આવે કે આ બન્ને મકસદ પ્રાપ્ત થાય.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59