માનવ રચના જ માનવીના માંસાહારી હોવાનો સંકેત આપે છે

Ml Fayyaz Patel
0
સવાલ :
   ઘણા બિન મુસ્લિમો માણસના માંસાહારી હોવા પર વાંધો ઉઠાવે છે અને તેની આલોચના કરે છે.
જવાબ :
   માનવ જાત શરુઆતથી જ શાકાહાર અને માંસાહાર બંને તરફ કુદરતી રીતે ટેવાયેલ હોય છે છતાં આજના સમયમાં માંસાહાર સામે માત્ર ભાવનાત્મક આધારિત વાંધો ઉઠાવવામાં આવે છે. જ્યારે કે માણસ જો પોતાની રચનામાં જ વિચાર વિમર્શ કરે તો આપોઆપ તેનું પોતાનું માંસાહારી હોવું પણ ખબર પડી જાય છે. તે માટે નીચે માનવ રચનાના એવા ત્રણ ઉદાહરણ આપવામાં આવે છે જે માનવીના માંસાહારી હોવાનો પણ સંકેત આપે છે.
➊​➤ દાંતની રચના :-
   જેટલા પણ માંસાહારી જાનવરો છે તે બધાના દાંત અણીદાર હોય છે. જ્યારે કે તે જાનવરો જેઓ શાકાહારી હોય છે તેઓના દાંત અણીદાર નથી હોતા. અલ્લાહ તઆલા એ માનવી રચનામાં બન્ને પ્રકારના દાંત મૂક્યા છે. અમુક દાંત અણીદાર બનાવ્યા છે, અને અમુક દાંત અણીદાર નથી બનાવ્યા. જે સંકેત આપે છે માનવી રચનામાં થી તેનું માંસાહારી હોવું પણ છે.
   સારાંશ કે માનવી રચનામાં બન્ને પ્રકારના દાંત હોવા તેના માંસાહારી અને શાકાહારી બન્ને હોવાનું દર્શાવે છે, માટે માંસાહારી હોવા પર વાંધો ઉઠાવવો પ્રકૃતિ પર વાંધો ઉઠાવવા સમાન છે.
➋​➤ જઠરની પાચન ક્ષમતા :-
   પ્રાણીઓ માં જઠરની બનાવટ માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ માં અલગ અલગ એ પ્રકારની હોય છે કે જો માંસાહારી પ્રાણી શાકભાજી ખાય તો જઠર તેનું પાચન નથી કરતું. અને શાકાહારી પ્રાણી માંસ ખાય તો જઠર તેનું પાચન નથી કરતું. જ્યારે કે માનવ જઠરની રચના માંસ અને શાકભાજી બન્ને પ્રકારની વસ્તુઓ નું પાચન કરી લે છે જે તેનું માંસાહારી હોવું પણ દર્શાવે છે.
   જો માનવ રચનામાંથી તેનું માંસાહારી હોવું ન હોત તો તેનું જઠર શાકાહારી પ્રાણીઓ ની જેમ કદી માસ પાચન ન કરતું. જેઓ માનવના માંસાહારી હોવાની આલોચના કરે છે તેઓએ પોતે પોતાની બનાવટમાં મનન કરી લેવું જોઈએ.
➌​➤ શરીરના પોષણની જરૂરત :-
   માનવ શરીરને જે ઉર્જા (Energy) ની જરૂરત હોય છે તે ફક્ત વનસ્પતિ આધારિત ખોરાક દ્વારા નથી મળતી. બલ્કે આ માટે માંસાહારી ખોરાકની પણ જરૂરત પડે છે. જો માણસ ખોરાક રૂપે માંસનો ઉપયોગ ન કરે તો, દવાના રૂપમાં તે જરૂરત પૂરી પાડવા મજબૂર બની જાય છે.
   આનાથી ખબર પડી કે માંસનો ખોરાકના રૂપમાં ઉપયોગ ફક્ત માનવ ઈચ્છા નહીં, બલ્કે કુદરતી રીતે એક માનવ જરૂરત છે. અને આ માનવ જરૂરત માનવીનું માંસાહારી હોવું દર્શાવે છે.
   સારાંશ કે મનુષ્યની શારીરિક રચના એવી છે કે તે માત્ર શાકાહાર જ નહિ, પણ માંસાહાર માટે પણ યોગ્ય રીતે અનુકૂળ છે. દાંતની રચના, જઠરની પાચન ક્ષમતા અને શરીરના પોષણની જરૂરત એ સાબિત કરે છે કે મનુષ્ય કુદરતી રીતે બન્ને પ્રકારના આહાર માટે બનાવાયો છે. એટલે આ માનવીના માંસાહારી હોવાના કુદરતી પુરાવાઓ છે. તેથી માંસાહારી હોવાને વાંધાજનક સમજવું પોતાની રચનાથી બગાવત અને તેનો ઈનકાર કરવા સમાન છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)