લોકોમાં આ વાત પણ ખુબ જ પ્રચલિત છે કે એક સ્ત્રી કયામતના દિવસે ૪ પુરુષોને જહન્નમમાં લઈ જશે. પિતા, પુત્ર, પતિ અને ભાઈ. કેમકે આ ચારેયની જિમ્મેદારી હતી કે તે સ્ત્રીની ઈસ્લાહ અને સહીહ પરવરીશ કરે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત વાતનો ઉલ્લેખ હદીષની કિતાબોમાં તલાશ કરવા છતાંય મળતો નથી. તે માટે જ્યાં સુધી કોઈ સહીહ સનદ સાથે આ વાત ન મળે ત્યાં સુધી તેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરી બયાન કરવી જાઈઝ નથી.
હાં ! આ વાત અલગ છે કે કયામતના દિવસે માત્ર તે સ્ત્રી જ નહીં બલ્કે પુરુષો અને સ્ત્રીઓમાંથી દરેકના ઝિમ્મેદારથી તે પુરુષ અથવા સ્ત્રીની ઈસ્લાહ પરવરીશ વિષે પુછવામાં આવશે. હદીષ શરીફમાં આવે છે કે :
كُلُّكُمْ رَاعٍ وكُلُّكُمْ مَسْؤُولٌ عَنْ رَعِيَّتِه
(بخاری ومسلم)
તર્જુમો :- તમારામાંથી દરેક વ્યક્તિ ઝિમ્મેદાર છે અને દરેક ઝિમ્મેદારને તેની ઝિમ્મેદારી વિષે પુછવામાં આવશે.
ખબર પડી કે મતલબ અને ભાવાર્થના હિસાબે ભલે ઉપરોક્ત વાત દુરુસ્ત હોય શકે છે. પરંતુ તે વાત ઉપરોક્ત શબ્દોમાં હદીષના તોર પર રસુલુલ્લાહ ﷺ ની તરફ નિસ્બત કરીને બયાન કરવી દુરુસ્ત નથી.
[ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૬૧]
----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59