" નમાઝ મોમીનની મેઅરાજ છે. " હદીષ વિષે હોવા, ન હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે : " એક દિવસ સહાબાؓ  એ રસુલુલ્લાહ ﷺ ને કહ્યું કે યા રસુલલ્લાહ અમે તમારી દરેક સુન્નત પર અમલ કર્યો, બસ એક સુન્નત પર અમલ બાકી રહી જાય છે અને તે મેઅરાજ છે. તો રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે મોમીનની મેઅરાજ નમાઝ છે."
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત જે હદીષના નામે પ્રચલિત છે તે હદીષની કોઈ પણ કિતાબમાં લખેલ નથી, તે માટે તેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરી બયાન કરવી જાઈઝ નથી.
    હાં કોઈ આલીમ અથવા બુઝુર્ગેનો મંતવ્ય છે કે નમાઝ પઢનાર વ્યક્તિ અલ્લાહ સાથે વાતો કરે છે જે એક પ્રકારની મેઅરાજ જેવું છે. પરંતુ આગળ જતાં કોઈએ રસુલુલ્લાહ ﷺ તરફ નિસ્બત કરી બયાન કરવાનું શરૂ કરી દીધું.
   તે માટે ઉપરોક્ત વાતની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કરીને બયાન કરવી જાઈઝ નથી.
[ઑનલાઇન ફતાવા દેવબંદ, ગેર મોઅ્તબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૩૭૦]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)