નમાઝ પછી જગ્યા બદલવા વિષે

Ml Fayyaz Patel
0
     આ વસ્તુ પણ ઘણી વાર જોવા મળે છે કે અમુક લોકો નમાઝ પઢ્યા પછી જગ્યા બદલવાનું એટલું જરૂરી સમજે છે કે પાછળ છૂટી ગયેલ નમાઝ પઢતા નમાઝીઓ નો ખ્યાલ પણ નથી રાખતા અને તેમની આગળથી પસાર થઇ જાય છે જે ગુનાહનું કૃત્ય છે.
     તેમજ જગ્યા બદલવાનું યોગ્ય ન હોવા છતાં આજુબાજુ આગળ - પાછળ વાળાઓનો ખ્યાલ રાખ્યા વગર જગ્યા બદલીને બીજાને તકલીફ આપે છે.
શુદ્ધિકરણ :-
     મુદ્દાની વાત આ છે કે નમાઝ પછી જગ્યા બદલવી મુસ્તહબ અમલ છે જરૂરી નથી. અને મુસ્તહબ પર અમલ કરવામાં બીજાને તકલીફ આપવી અથવા નમાઝ પઢનારની સામેથી પસાર થઈ જવું જે ગુનાહનું કામ છે. કદાપી જાઈઝ નથી.
     તે માટે જો ઉપરોક્ત મુસ્તહબ પર અમલ કરવામાં કોઈ ગુનાહનું કામ થવાની શક્યતા હોય તો તેને છોડી દેવું જોઈએ. નહીંતર અમલ કરવામાં વાંધો નથી.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૬ / ૬૯]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)