આજકાલ લોકો ઘરોમાં ડોરબેલ માં ઘંટડીની જગ્યાએ કુર્આનની આયત તેમજ અલ્લાહુ અકબર, સુબ્હાન્ અલ્લાહ વગેરેની અવાજ મુકે છે કે જે કોઈ પણ ઘરનો ડોરબેલ વગાડે તો ઘરવાળાઓ ને ઘંટડીની જગ્યાએ કુર્આનની આયત તેમજ અલ્લાહુ અકબર અને સુબ્હાન્ અલ્લાહ સંભળાય.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે ડોરબેલનો હેતુ અને મકસદ માત્ર આ વાતની ખબર દેવાનો છે કે કોઈ વ્યક્તિ તમારા ઘરમાં દાખલ થવાની ઈજાઝત માંગી રહ્યો છે. અને આ હેતુ પુરો પાડવા માટે કુર્આનની આયત તથા અલ્લાહના નામનો ઉપયોગ બેઅદબી અને અવિવેકી ને પાત્ર છે.
તે માટે તેનો ઉપયોગ ઉપરોક્ત હેતુ અને મકસદ માટે ઉલમાએ નાજાઈઝ લખ્યો છે. અને કુર્આનનો તથા અલ્લાહના નામનો અદબ, માન, મર્યાદા અને સન્માન જરૂરી તેમજ વાજીબ છે. તે માટે ઉપરોક્ત વાતથી બચવું ઘણું જરૂરી છે.
[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૧ / ૧૩૫]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59