વરસાદના પાણી પર પઢવાના અમલ વિષે તહકીક

Ml Fayyaz Patel
0
     આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે એક વખત હઝરત જીબ્રઈલેؐ રસુલુલ્લાહﷺ ને એક અમલ બતાવ્યો કે : જે વ્યક્તિ વરસાદના પાણી પર સીત્તેર વખત સૂરહ્ ફાતિહા, સૂરહ્ ઈખ્લાસ, સૂરહ્ ફલક અને સૂરહ્ નાસ પઢીને તે પાણી પર દમ કરી તેને સવાર સાંજ સાત (૭) દિવસ સુધી પીવે તો તેને દરેક બિમારીથી શીફા મળી જશે.
શુદ્ધિકરણ :-
     ઉપરોક્ત વાતનો ઉલ્લેખ શીયોની કિતાબોમાં મળે છે. એહલે સુન્નતની કિતાબો આ અમલથી ખાલી છે. તે માટે ઉપરોક્ત વાત પર ભરોસો ન કરવો જોઈએ. હાં વરસાદનું પાણી બરકત વાળુ હોય છે. અને ઉપરોક્ત સૂરતોની ઈલાજ માટે ફઝીલતો પણ સાબિત છે.
     તે માટે ઉપરોક્ત અમલ કોઈ વ્યક્તિ ઈલાજ માટે કરવા ચાહે તો કોઈ વાંધો નથી. પરંતુ તેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ કરવી દુરુસ્ત નથી.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લૉહ]
---------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)