આ વાત પર લોકોમાં ઘણી પ્રચલિત છે કે જો કોઈનાથી કુર્આન પડી જાય અથવા બેઅદબી થાય તો તે વ્યક્તિએ કુર્આનના વજન બરાબર ઘઉં વગેરે સદ્કહ કરવો જોઈએ.
શુદ્ધિકરણ :-
બેશક કુર્આન શરીફનો અદબ, માન, મર્યાદા અને સન્માન જરૂરી અને વાજીબ છે. તે માટે કોઈ વ્યક્તિથી તેની બેઅદબી અને અવિવેકી થાય તો તૌબા અને ઈસ્તિગ઼્ફાર (અલ્લાહ તઆલાથી માફી માંગવી) જરૂરી છે.
પરંતુ સદ્કહ કરવાનું ફીક્હ (મસાઈલ) ની કોઈ પણ કિતાબમાં લખેલું મળતુ નથી.
તેથી એવુ સમજવું કે કુર્આન પડી જાય અથવા બેઅદબી થાય તો તે વ્યક્તિએ કુર્આનના વજન બરાબર ઘઉં વગેરે સદ્કહ કરવો જોઈએ સહીહ નથી.
[મુહક્કક વ મુદલ્લલ જદીદ મસાઈલ : ૨ / ૭૩]
-------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59