શુદ્ધિકરણ કર્યા વગર મનઘડત હદીષો શેયર કરવા વિષે

Ml Fayyaz Patel
0
     આમ દિવસોમાં અને ખાસ કરીને રમઝાન માસમાં લોકોમાં દીનની વાતોને બયાન તથા શેયર કરવાનું એક જુનૂન ચઢેલું હોય છે. અને તેને શેયર તથા બયાન કરવામાં આ વાતનું પણ ધ્યાન નથી રાખતા કે હું જે શેયર તથા બયાન કરી રહ્યો છું તે સહીહ પણ છે કે નથી.
શુદ્ધિકરણ :-
     દીનની વાત ખાસ કરીને હદીષ શુદ્ધિકરણ (તહકીક) વગર શેયર કે બયાન ન કરવી જોઈએ. જો તે જુઠી કે મનઘડત હશે તો તેના પ્રત્યે હદીષમાં ઘણી સખત વઈદ ( ધમકી ) આવેલી છે.
قَالَ رَسُولُ اللهِ صَلَّى ﷺ : فَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ۔
જે વ્યક્તિ જાણી જોઈને મારા તરફથી કોઈ જુઠી વાત કહેશે તો તેણે જહન્નમમાં પોતાની જગ્યા બનાવી લેવી જોઈએ.
 قَالَ رَسُولُ اللهِ ﷺ : كَفَى بِالْمَرْءِ كَذِبًا أَنْ يُحَدِّثَ بِكُلِّ مَا سَمِعَ۔
માણસના જુઠા હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે.
(મુકદ્દમ-એ મુસ્લિમ શરીફ)
      ઉલમાએ લખ્યું છે કે કોઈ મનઘડત વાત પ્રત્યે તેનું કુર્આન તથા હદીષમાં હોવાનો અકીદો રાખવો શરિયત પર જુઠી તહોમત લગાવવાને પાત્ર છે.
      તે માટે મનઘડત વાતો તથા હદીષો શેયર તથા બયાન કરવાથી ખૂબ બચવાની જરૂર છે.
[મનઘડત રીવાયાત કા તઆકુબ]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)