દીનના બારામાં એક ઘડી ફિક્ર કરવી દુનિયા વ'માં ફિહાથી બહેતર હોવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે " દીનના બારામાં એક ઘડી ફિક્ર કરવી દુનિયા અને તેમાં જે કાંઈ છે તેનાથી બહેતર છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત હદીષની કિતાબોમાં ઘણી તલાશ કર્યા પછી પણ સનદ સાથે નથી મળતી, અને રસુલુલ્લાહ ﷺ તરફ સંબંધિત વાત જ્યાં સુધી સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાનું મૌકુફ રાખવું જોઈએ.
   કેમ કે રસુલુલ્લાહ ﷺ તરફ કોઈ વાત સંબોધીને ત્યારે જ બયાન કરી શકાય જ્યારે તે સહીહ સનદ સાથે હદીષની કિતાબોમાં મૌજુદ હોય.
➤ હદીષમાં આવે છે કે :
   " રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે." (ઈબ્ને માજા શરીફ :- હ. નં. / ૩૩)
   તે માટે ઉપરોક્ત વાતને બયાન તેમજ શેયર કરવામાં સાવધાની રાખવી જોઈએ.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૪૧૪]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)