લોકોમાં એપ્રિલનો મહિનો " એપ્રિલ ફુલ " ના નામથી ઉજવવામાં આવે છે. જેની ન કે માત્ર બિન મુસ્લીમ બલ્કે મુસલમાનો પણ ઉજવણી કરે છે. તે માટે જાણી લેવું જોઈએ કે શરઈ દ્રષ્ટિએ એપ્રિલ ફૂલ ઉજવવાની શું શું ખરાબીઓ છે.
શુદ્ધિકરણ :-
સૌપ્રથમ આ વિષે એપ્રિલ ફૂલની વ્યાખ્યા જોઈએ કે એપ્રિલ ફૂલ કોને કહેવાય.
એપ્રિલ ફૂલની વ્યાખ્યા :- પહેલી એપ્રિલે સામેવાળી વ્યક્તિને કોઈ જુઠી વાત કહીને બેવકૂફ બનાવવાને એપ્રિલ ફૂલ કહેવામાં આવે છે.
એપ્રિલ ફૂલની ઉજવણી શરઈ દ્વષ્ટિએ ના જાઈઝ અને હરામ છે. કેમકે તેમાં ઘણા બધા મોટા મોટા ખરાબ પાપો અને ગુનાહોનું મિશ્રણ છે. જે નિમ્ન લિખિત છે.
❖ ① : જુઠું બોલવું.
❖ ② : ધોખો આપવો.
❖ ③ : બીજાને તકલીફ પહોંચાડવી.
❖ ④ : ગેર મુસ્લિમોની નકલ ( મુશાબહત ) ઈખ્તિયાર કરવી.
❖ ⑤ : એક એવા કિસ્સાની યાદમાં ઉજવવામાં આવે છે જેની કોઈ સચ્ચાઈ નથી અથવા અંધશ્રધ્ધા અથવા એક નબી સાથે અવિવેકી મજાકને પાત્ર છે.
તે માટે એપ્રિલ ફૂલની ઉજવણી ના જાઈઝ અને હરામ છે.
[માખૂઝ અઝ્ :- ઝીક્રો ફીક્ર : સફા. ૭૦]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59