હદીષના નામે લોકોમાં આ વાત પણ ખૂબ પ્રચલિત છે કે જે વ્યક્તિ ઘરમાં દાખલ થતી વખતે પહેલા સલામ પછી દુરૂદ શરીફ અને સુરહ્ ઈખ્લાસની તીલાવત કરે તો તેના ઉપર અલ્લાહ તઆલા રોજીના દરવાજા વરસાદની જેમ ખોલી દેશે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત હદીષ પાંચ સહાબાؓ થી બયાન કરેલ છે. પરંતુ તે બધી હદીષોની સનદો વધારે પડતી કમજોર છે. અને ભરોસાને લાયક નથી.
તે માટે ઉપરોક્ત અમલ પર અમલ કરવાની ઈજાઝત ત્યારે રહેશે જ્યારે તે અમલની નિસ્બત રસુલુલ્લાહ ﷺ તરફ કર્યા વગર માત્ર એક અનુભવી અમલ સમજીને કરવામાં આવે. કેમ કે હદીષ ન હોવાથી તેની નિસ્બત રસુલુલ્લાહ ﷺ કરવી દુરુસ્ત નથી.
[માખૂઝ અઝ્ : અહાદીષે મશ્હૂરહ્ કી તહકીક, શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુ'લ્લૉહ]
---------------------------------------------
Ml Fayyaz Patel Ghodi
+265 980 26 85 59