ખાધા પછી મીઠી વસ્તુ (Sweet) ખાવા વિષે

Ml Fayyaz Patel
0
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ખાધા પછી મીઠી વસ્તુ ખાવી સુન્નત છે. અને આ વસ્તુને સુન્નત કહીને તેના પર ખૂબ જ અમલ કરવામાં આવે છે.

શુદ્ધિકરણ :-

     ઉપરોક્ત વાત કે ખાધા પછી મીઠી વસ્તુ ખાવી સુન્નત છે દુરુસ્ત નથી. કારણ કે હદીષ અને ફિક્હની કિતાબોમાં આ વિષે કોઈ ઉલ્લેખ નથી.

હાં..! રસુલુલ્લાહ ﷺ ના આખા જીવન ચરિત્રમાં માત્ર એક વખત ખાધા પછી ખજૂર ખાવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ એનો મતલબ આ નથી કે તેને સુન્નત કહી દેવામાં આવે.

حَدَّثَنَا عُبَيْدُ اللَّهِ بْنُ عِكْرَاشٍ، عَنْ أَبِيهِ عِكْرَاشِ بْنِ ذُؤَيْبٍ قَالَ :‌‌‌‏ بَعَثَنِي بَنُو مُرَّةَ بْنِ عُبَيْدٍ بِصَدَقَاتِ أَمْوَالِهِمْ إِلَى رَسُولِ اللَّهِ ﷺ ...‌‌‌‌‌‏..(الاختصار ) ...‌‌‌‌‌‏.. ثُمَّ أُتِينَا بِطَبَقٍ فِيهِ أَلْوَانُ الرُّطَبِ أَوْ مِنْ أَلْوَانِ الرُّطَبِ عُبَيْدُ اللَّه شَكَّ قَالَ:‌‌‌‏ فَجَعَلْتُ آكُلُ مِنْ بَيْنِ يَدَيَّ.

( الترمذي : ١٨٤)

     હાં રસુલુલ્લાહﷺ મીઠી વસ્તુ ખાવાની પસંદ ફરમાવતા હતા. મતલબ જ્યારે પણ મળી જાય શોખથી ખાતા હતા. તેમા કોઈ પણ વખત કે સમય નક્કી અને નિશ્ચિત હોવા વગર.

عَنْ عَائِشَةَ قَالَتْ :‌‌‌‏ كَانَ النَّبِيُّ ﷺ يُحِبُّ الْحَلْوَاءَ وَالْعَسَلَ ۔

( الترمذي / رقم الحديث : ۳۶۷۹ )

તર્જુમો :- હઝરત આઈશાؓ બયાન કરે છે કે રસુલુલ્લાહ ﷺ મધ અને મીઠી વસ્તુ ખાવાની પસંદ ફરમાવતા હતા.

      તે માટે મીઠી વસ્તુ કોઈ પણ વખતને નક્કી સમજ્યા વગર આ નિય્યતથી ખાવી કે રસુલુલ્લાહ ﷺ શોખથી ખાતા હતા ઈન્શા અલ્લાહ સુન્નતનો ષવાબ મળી જશે. પરંતુ તેને કોઇ એક વખત સાથે ખાસ કરી કહેવું કે ખાધા પછી ખાવું સુન્નત છે દુરુસ્ત નથી.

[અ'લ્ મસાઈલુ'લ્ મુહિમ્મહ્ : ૪ / ૨૨૯]

----------

Ml Fayyaz Patel (Ghodi)

+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)